GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે. ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે. iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.