GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી.
2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે.
3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.
2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ની હકૂમત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં મેનેજર અને તેની ઉપરના હોદ્દાઓ CVC ની હકુમત હેઠળ આવે છે.
2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, SIDBI અને NABARD ના ગ્રેડ D અને તેની ઉપરના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.
3. સંરક્ષણ સામગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલાં સંરક્ષણ દળના કર્નલ અને તેની નીચેની પાયરીના અધિકારીઓ CVC ની હકૂમત હેઠળ આવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. લોકમાન્ય તિલક
2. દાદાભાઈ નવરોજી
3. ગોપાલકૃષ્ણ ગોખલે
4. લાલા લજપતરાય
a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન
b. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી
c. મરાઠા
d. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c. 2 - a, 3 - d, 4 - b
1 - a, 2 - c, 3 - d, 4 - b
1 - c, 2 - a, 3 - b, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP