કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે. 2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે. 4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઉજ્જવલા– 2 યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. ઉજ્જવલા– 2 યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓને LPG સિલિન્ડર મેળવવા માટે રાશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ રજૂ કરવાની જરૂર રહેશે નહીં. 2.આ યોજના હેઠળ દરેક LPG જોડાણ માટે BPL પરિવારોને 1600 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 3. ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે. 2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે. 3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે. 4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા. યોગ્ય વિકલ્પ પંસદ કરો.