GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.
3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.
2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.
3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I (વરસાદનું પ્રમાણ)
1. ભારે વરસાદના ક્ષેત્રો
2. મધ્યમ વરસાદ
3. ઓછો વરસાદ
4. અપૂરતો વરસાદ
યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે)
a. આસામ, મણિપુર
b. બિહાર
c. હરિયાણા
d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ

1-a, 2-b, 3-c, 4-d
1-d, 2-a, 3-b, 4-c
1-b, 2-c, 3-d, 4-a
1-c, 2-d, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP