GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ?

નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું.
ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું.
ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા.
ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે.
2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી.
3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો.
P અને Q સાથે કામ નહિ કરે.
T અને R સાથે કામ નહિ કરે.
U અને T સાથે કામ કરવા ઈચ્છે છે.
તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?

R, Q, P, U
Q, U, T, V
Q, S, R, P
P, R, T, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે.
2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે‌.
3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે.
4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP