GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે. 2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે. 3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે. 2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી. 3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તેઓ રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ છ મહીનાના સમયગાળા માટે કાર્ય કરી શકે છે. 2. રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતાં નથી. 3. બંધારણે ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી.