GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. લૉર્ડ કેનીંગ આયોગની ભલામણોને આધારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 2. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક્ટ મુજબ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય બોર્ડના ડાયરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે છે. 3. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ ગવર્નર અને આઠથી વધુ નહીં એટલાં પુરા સમયના ડાયરેક્ટરોની જોગવાઈ ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી. 2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી. 3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે. 2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે. 3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ. 2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે, 4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.