GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?

T, S
R, S
આપેલ પૈકી એક પણ નહીં
R, Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ?

રૂ. 8,000
રૂ. 6,400
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 7,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.
2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.
3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે.

ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP