GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ.
2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી.
3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે.
4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ___

સમાંતર કિરણો મોકલે છે.
તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.
હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે.

ખરીદશક્તિની એકરૂપતા (Purchasing Power Parity)
ચલણ સમાનતા (Currency Equalization)
લેણદેણની તુલા (Balance of Payments)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
NSSO ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ?

બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ
બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ
બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ
સામાન્ય સ્થિતિ બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો.
2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો.
3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે.
4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.

1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP