GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?

આપેલ પૈકી એક પણ નહીં
4
3
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?

ઉપરથી ચોથું
આપેલ પૈકી એક પણ નહીં
ઉપરથી પ્રથમ
નીચેથી બીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

વૃક્ષદેવ
જળદેવતા
નાગદેવતા
બળિયાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી કોઈ નહીં.
બંધારણે નિવૃત્ત થયેલા ચુંટણી આયુક્તોને બાદમાં અન્ય કોઈ સરકારી નિમણૂંક માટે નિષેધ કરે છે.
ચૂંટણી પંચના સદસ્યની મુદત બાબતે બંધારણમાં નિર્દેશ કરેલ નથી.
ચૂંટણી પંચના સદસ્યની લાયકાત બાબતે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દાડાનું ઘનફળ કેટલું થશે ? [ π = 3.14]

113.04 cm³
આપેલ પૈકી કોઈ નહીં
109.04 cm³
107.04 cm³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP