GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજા કયાં પોષક તત્ત્વો હોય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
કેલ્શિયમ, પોટેશિયમ અને જીપ્સમ
પોટેશિયમ અને લોહતત્ત્વ
કેલ્શિયમ અને પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ?
1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી.
2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ.
3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું.
4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો.
2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે.
3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.
2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.
3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP