GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ? 1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે. 2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે. 3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે. 4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી. iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. 2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. 3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.