GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે. 2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. 3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે. ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે. iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે. 2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે. 3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી. 4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી. 2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે. 3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. 4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સમદ્વિબાજુ ત્રિકોણની એકબાજુનું માપ 5 સે.મી. હોય અને તેના પાયાનું માપ 8 સે.મી. છે. જ્યારે એક વર્તુળની ત્રિજ્યા √7 સે.મી. છે. તો આ વર્તુળ અને સમદ્વિબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ? (π = 22/7)