GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે. 2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે. 3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે. 4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ બેંકના સાઉથ એશિયા ઈકોનોમીક ફોકસ સ્પ્રીંગ 2021 રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અહેવાલે નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની વૃધ્ધિ 7.5% થી 12.5% ની શ્રેણીમાં રહેવાનું અનુમાન કર્યું છે. 2. નાણાકીય વર્ષ 2021-2022 માટે દક્ષિણ એશિયન જૂથનો ગરીબીનો દર 6% થી 9% સુધીનો રહેવાનું અનુમાન કર્યું છે. 3. નાણાકીય વર્ષ 2023-2024 સુધીમાં ભારતનો ગરીબીનો દર 2% થી 4% ની વચ્ચે રહેવાનો અનુમાન કર્યું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વ્યક્તિગત આવક એ એકંદરે કમાયેલ (earned) આવક અને ન કમાયેલ (unearned) આવક છે. 2. રાષ્ટ્રીય દેવા (National Debt) ઉપરના વ્યાજનો સમાવેશ વ્યક્તિગત આવકમાં થાય છે. 3. કંપનીઓનો વણવહેંચાયેલો નફો અને કોર્પોરેટ કરવેરાઓ પણ વ્યક્તિગત આવકનો ભાગ છે. 4. ટ્રાન્સફર રસીદ (Transfer Receipt) અથવા ચુકવણીઓનો સમાવેશ રાષ્ટ્રીય આવક હેઠળ થાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે. 2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. 3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે. 4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે. 2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે. 3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.