GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા. II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું. III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. પેટી 1 માં ___ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ટીળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી II. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા. III. ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે. તારણો : I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે. II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી