GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ___ હતાં.

ફ્રેન્ચ
ડેનીશ
પોર્ટુગીઝ
ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ.
2. પંચાયતની ચૂંટણીના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ.
3. લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાયપંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત I અને II
ફક્ત III
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે ?
I. રેવા
II. વીર હમીરજી
III. ધ ગુડ રોડ
IV. હેલ્લારો

ફક્ત II અને III
I, II અને III
ફક્ત II
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?

3
5
4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અહીં, એક પ્રશ્ન અને ત્રણ વિધાનો આપ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે કયું / કયા વિધાન / વિધાનો તે પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે.
પ્રશ્ન : x નું મૂલ્ય કેટલું છે ?
વિધાનો :

III એકલું પર્યાપ્ત છે
આપેલ પૈકી એક પણ નહીં
I અને II અથવા I અને III પર્યાપ્ત છે.
I એકલું અથવા III એકલું પર્યાપ્ત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP