સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢી એક યંત્ર ₹ 2,50,000 ની કિંમતે ખરીદવા માંગે છે તેના રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે : ₹ 1,00,000, ₹ 1,50,000 અને ₹ 1,00,000 તેનો વટાવનો દર 10% છે અને વટાવ પરિબળ ત્રણ વર્ષ માટે અનુક્રમે 0.9091, 0.8265 અને 0.7513 છે તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?