સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?