GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે. 2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે. 3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-II a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.