GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે. 1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-II a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.