GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી. 2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું. 3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી. 4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. થેલેસેમિયા આનુવંશિક રોગ છે. 2. અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે. 3. રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈપણ ફેરફારને કારણે થાય છે. 4. પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ. 2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે. 3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.