GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય. 2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય. 3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું. 2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું. 3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની અગ્નિ-5 મિસાઈલ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. 5000 કિ.મી. કરતા વધુ પ્રહારક્ષમતા સાથે તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી શકે છે. 2. આ મિસાઈલ ત્રણ તબક્કાની ઘન ઈંધણ ટેકનોલોજી ધરાવે છે. 3. અગ્નિ-5 જમીનથી જમીન (surface-to-surface) મિસાઈલ છે અને તે 2 મીટર પહોળુ અને 17 મીટર ઊચું છે અને 1.5 ટન સુધીનો પે-લોડ (payload) ખાસ કરીને ન્યુક્લિયર વોરહેડ (nuclear warheads) નું વહન કરવા સક્ષમ છે.