GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી. 2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે. 3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી. 4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે. 2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે. 3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદની સંરચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. હાલ રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધીત્વ કરતાં 229 સભ્યો, 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અને 12 નિયુક્ત સભ્યો ધરાવે છે. 2. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 550 નિશ્ચિત થયેલી છે. 3. હાલ લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતાં 530 સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં 13 સભ્યો ધરાવે છે.