GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે.
નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે.
સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂની મિલકતની ઘસારાબાદ ચોપડે કિંમત એ ___ નું ઉદાહરણ છે.

ડૂબેલી પડતર
પુનઃસ્થાપન પડતર
તફાવત પડતર
અસામાન્ય પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

એકપણ નહીં
(I) અને (III)
(II) અને (IV)
બધાં જ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ?

કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે.
દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ.
ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે.
દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP