GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે. 2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા. 2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું. 4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.