GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ?

કન્યાજી રાવજી
વાઘજી રાવજી-II
લખધીરજી રાવજી
જયાજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.)

37.5 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
38.5 વર્ષ
36.5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ?

ખાંડની દરેક સીઝન (Season) માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી (નિમ્નતમ) કિંમત નક્કી કરે છે.
આપેલ બંને
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ?
1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે.
2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે.
3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે.
4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.

માત્ર 2 અને 4
1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત iii
i,ii અને iii
ફક્ત ii
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?
1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે.
2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં.
3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.

માત્ર 2 અને 3
માત્ર 2
માત્ર 1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP