GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે. 2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે. 3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ? 1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે. 2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે. 3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.