GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. સિદ્દી (Siddi) 2. કોલઘા (Kolgha) 3. પઢાર (Padhar) 4. પટેલીયા (Patelia) યાદી-II a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે. d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે. 2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે. 4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે. 2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે. 3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.