GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

માત્ર I સાચું છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર II સાચું છે.
I અને II બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

માત્ર (II)
(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ત્રણ જુદા પ્રકારના ઑડિટ હોય છે. તે કયા છે ?

જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ
જો રૂા. 3 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને ગુપ્ત ઑડિટ
જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને સુપરફિસિયલ ઑડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ?

દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ.
દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે.
કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે.
ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં –
(I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ
(II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની
(III) માલનો સ્ટોક
(IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની

માત્ર (III) અને (IV) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP