GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંને સાચાં છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર I સાચું છે.
માત્ર II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
(II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી.

માત્ર (I)
(I) અને (II) બંને
માત્ર (II)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો.

સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ
સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી
પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ
બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?
(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.
(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (I) ખોટું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી.
માત્ર (II) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો / ક્યાં ઑડિટનો ફાયદો / ફાયદાઓ છે ?
(I) તે એન્ટરપ્રાઈઝના હિસ્સેદારોના હિતનું રક્ષણ કરે છે.
(II) તે કર્મચારીઓની નૈતિક તપાસ છે કે જે ઉચાપત કરતા રોકે છે.
(III) તે કર્મચારીઓમાં આતંક ઉત્પન્ન કરવાનું સાધન છે.

માત્ર (I) અને (II)
માત્ર (II)
માત્ર (I)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (IV)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP