GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ? (I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે. (II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે. (III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. (IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે. (II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે. (III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી. (II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો. (III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.