GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
(I) અને (II) ખોટાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.
ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક
કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક
વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક
ચાલુ ધંધાની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે.
(II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે.
(III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.

(I), (II) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

(I) અને (II)
(I), (II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP