GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો માત્ર તારણ II અનુસરે છે
જો તારણ । કે II અનુસરતા નથી.
જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ । અથવા II અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?
1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.
2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ
3. જમીનગત જળસપાટી નીચે જવી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું.
તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું.
કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?
1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.
2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.
3. RBI બેંક રેટમાં વધારો કરે.
4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2
માત્ર 1 અને 4
માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?

મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે.
ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે.
મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે.
કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP