GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું.
II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં.
III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.

ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ?

ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.
ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.
શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ.
અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દાડાનું ઘનફળ કેટલું થશે ? [ π = 3.14]

109.04 cm³
107.04 cm³
આપેલ પૈકી કોઈ નહીં
113.04 cm³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.
II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.
III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.

ફક્ત III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP