GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમ્યાન ન્યાયાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i.ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું
ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.
iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ઈમીગ્રન્ટ (દેશાંતરવાસી) વંશીય જૂથ ચાઈનીઝ અને ભારતીયો છે.
ii. દક્ષિણ પૂર્વ એશિયાની હાલની વસ્તીની મોટી બહુમતી મોંગોલોઈડ વંશીય જૂથ ધરાવે છે.
iii. દક્ષિણ પૂર્વ એશિયાના હાલના વસાહતીઓના જાણમાં હોય તેવા સૌ પ્રથમ પૂર્વજો ઓસ્ટ્રેલોઈડ હતા પરંતુ તેઓ તેમની પાછળ ખૂબ ઓછી નિશાની છોડી ગયા.

i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના ___ ની અસર છે.

પરિભ્રમણ (Rotation)
ધોવાણ (Erosion)
પરિક્રમણ (Revolution)
ભૂસંચાલન (Diastrophism)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

i, ii, iii અને iv
ફક્ત i અને ii
ફક્ત ii અને iv
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે.
કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે.
કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP