GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

I, II અને IV
ફક્ત III
III અને IV
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ?

મફત-ભેટ તરીકે વહેંચેલ માલ
આપેલ પૈકી એક પણ નહીં
ક્લબની સભ્ય ફી
કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ?

રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત.
તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ).
તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત.
બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

નાણા મંત્રાલય
ભારતીય રિઝર્વ બેંક
નાણાકીય સેવાઓ વિભાગ
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.
વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP