GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ? (I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક. (II) બેંક ચાર્જિસ. (III) બેંકે જમા કરેલ વ્યાજ. (IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે. (II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે. (III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે. (IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
1961માં પ્રકાશિત અગ્રગણ્ય સંશોધન અભ્યાસમાં, ગોર્ડન ડૉનાલ્ડસને કંપનીઓ પોતાનું મૂડીમાળખુ ખરેખર કેવી રીતે સ્થાપિત કરે છે તેનું પરિક્ષણ કર્યું. નીચેના પૈકી કયું / ક્યાં આ અભ્યાસના તારણ / તારણો છે ? (I) પેઢીઓ પોતાના આંતરિક ઉપાર્જન કે જેમાં રાખી મૂકેલ કમાણી અને ઘસારાબાદ રોકડપ્રવાહ પર આધાર રાખવાનું પસંદ કરે છે. (II) ભવિષ્યની અપેક્ષિત રોકાણની તકો અને ભવિષ્યનો અપેક્ષિત રોકડપ્રવાહ ડિવિડન્ડ ચૂકવણીના ગુણોત્તરના લક્ષ્યને અસર કરે છે. (III) પેઢી પોતાના લક્ષ્યાંકિત ચૂકવણી ગુણોત્તર એ સ્તરે નક્કી કરે છે, જ્યાં સામાન્ય સંજોગોમાં મૂડીખર્ચો એ આંતરિક ઉપાર્જન દ્વારા વસૂલ થાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે. (II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે. (III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.