GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (I) અને (II)
માત્ર (I) અને (IV)
માત્ર (II) અને (III)
બધાં જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IFCI) ના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(I) IFCIની સ્થાપના 1949માં થઈ હતી.
(II) IFCI ની પચાસ ટકા શેરમૂડી IDBI ધારણ કરે છે જ્યારે બાકીની પચાસ ટકા વેપારી બેંકો અને સહકારી બેંકો ધારણ કરે છે.
(III) IFCI ની સત્તાવાર મૂડીમાં IFC (એમેન્ડમેન્ટ) એક્ટ, 1972 થી રૂા. 10 કરોડથી વધારીને રૂા. 30 કરોડ કરવામાં આવેલ છે.
(IV) IFCI એ ઔદ્યોગિક એકમના શૅર, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચર બહાર પાડતા બાંહેધરીનું કામ કરે છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (IV) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ?
(I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે.
(II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી.
(III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
(IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ.

(I) અને (II)
(III) અને (IV)
(II) અને (III)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પડતર હિસાબી પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના પ્રમાણો સ્થાપિત કરી, કાર્યક્ષમતા નિશ્ચિત કરી અને અંકુશ રાખવો.
વિવિધ પરિસ્થિતિમાં પડતરની વિવિધ તકનીકો અને પધ્ધતિઓનો ઉપયોગ કરી પડતરની ખાતરી કરવામાં આવે છે.
વિવિધ સંજોગોમાં વેચાણકિમત નક્કી કરવી.
કંપનીમાં કર્મચારી ભરતીની પધ્ધતિઓ નક્કી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?
(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.
(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે.
(III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય.

બધાં જ સાચાં છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP