GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે.
(I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે.
(II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે.
(III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે.
(IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

માત્ર (I) અને (II)
માત્ર (III) અને (IV)
ઉપરના બધા જ
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?
(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.
(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી.
માત્ર (II) ખોટું છે.
માત્ર (I) ખોટું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સહસંબંધાંક એ બે ચલ વચ્ચેની આવરણ કક્ષાનું માપ છે.
(II) નિયતસંબંધ વિશ્લેષણ એ બે ચલ વચ્ચેના સંબંધના સ્વરૂપનો અભ્યાસ કરે છે.
(III) સહસંબંધ એ સંબંધોની કક્ષાનું માપન કરે છે.
(IV) નિયતસંબંધ એ કાર્ય અને કારણ સંબંધનું માપન કરે છે.

માત્ર (II), (III) અને (IV) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (ASB) ના સ્પષ્ટીકરણ મુજબ ‘રોકાણમાં સહયોગીતા' (Investments in Associates) કયા ભારતીય હિસાબી ધોરણ (Ind AS) માં સમાવિષ્ટ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
Ind AS-12
Ind AS-28
Ind AS-20

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ?

શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ.
શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ.
અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે.
તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP