GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. કૃતિ I. મકસદ II. બીજી સવારનો સૂરજ III. ગુલાબ IV. કપુરનો દિવો કર્તા a. ચંદ્રવદન મહેતા b. નગીનદાસ મારફતીયા c. હસુ યાજ્ઞિક d. લાભશંકર ઠાકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર-પૂર્વીય પરિષદના સદસ્યો છે. 2. તે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનો ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે. 3. બે અથવા બે થી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભકર્તા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે.