GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત ii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી.
ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો.
iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : V&D,D%T,K$T,K#F
તારણો : (I) V%F
(II) V%K

જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો તારણ । અથવા II સાચું છે.
જો માત્ર તારણ I સાચું છે.
જો માત્ર તારણ II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.
અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય
સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.
સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP