GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો. (I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે. (II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે. (I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે. (II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે. (III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે. (IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.