GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય નાણાકીય વ્યવસ્થામાં (Indian Financial System)અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પૂરક અનુદાન : જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે.
વધારાનું અનુદાન : ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?
i. રાણકી વાવ
ii. ધોળાવીરા
iii. સૂર્યમંદિર, મોઢેરા
iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક

ફક્ત i અને iv
ફક્ત ii અને iii
ફક્ત ii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?

ધર્મચક્રપ્રવર્તન
મહાનજ્ઞાન-પ્રાપ્તિ
મહાપરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે.
3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.

1,2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,700
રૂ. 2,300
રૂ. 2,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP