GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે. 2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે. 3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે. 4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. 2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે. 3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.