GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. 2. કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોકઅદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. 3. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો પણ આવા નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઇ નથી 4. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. 2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. 3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે. 2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે) 3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.