GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.
2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે.
3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.
4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - d, 2 - c, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.

ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો.
આપેલ બંને
પીંઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. તે બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેણે કેટલા ટકા નફો અથવા ખોટ થશે ?

12.5% ખોટ
12.5% નફો
10% નફો
10% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP