GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. 2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. 3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. 4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે. 2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે. 3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ? 1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી. 2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ. 3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું. 4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.