કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં આસામના પાંચ વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ‘કાર્બી આંગલોંગ ત્રિપક્ષીય’ કરાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ કરાર મુજબ વિદ્રોહી જૂથો હિંસાનો માર્ગ છોડી દેશે તથા તેમના હથિયારો પણ સોંપી દેશે. 2. આ કરાર મુજબ હજારો ઉગ્રવાદીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. 3. આ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર કાર્બી ક્ષેત્રના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ફાળવશે. 4. આ કરાર અંતર્ગત કાર્બી સમુદાયના આસામ રાજ્ય વિધાનસભામાં ફરજિયાત ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
અર્જુન MK-1 A યુધ્ધ ટેન્ક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? (1) MBT MK-1 A ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે. (2) તે ભારતીય સેનાની તમામ ગતિશિલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે. (3) આ યુધ્ધ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવામાં આવી છે. (4) આ ટેન્ક બેંગ્લોર સ્થિત HVF દ્વારા વિસસાવવામાં આવી છે તથા તેની ડિઝાઈન પણ તૈયાર કરી છે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે. 2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. 3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.