GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર-પૂર્વીય પરિષદના સદસ્યો છે. 2. તે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનો ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે. 3. બે અથવા બે થી વધુ ઉત્તર-પૂર્વીય રાજ્યોને લાભકર્તા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો. II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં. III. ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે. 2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે. 3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. 4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.