GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચાં છે ? 1. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. 2. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મૂકાયેલી પ્રજાતિ ગણાવે છે. 3. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?