GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં. 2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ. 3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતનું ___ શહેર એ 2021 માં Science and Technology for Sustainable Development with Women Empowerment ના ધ્યેય સાથે 108મી ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસના યજમાન બનવાનું છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.